ગુરુવાર, 15 જુલાઈ, 2010

વિચારો પણ ખોવાયેલા છે.

કોઇ ના વિચારો માં ખોવાયેલો ,
આ દૂનિયા ના વમળ માં અટવાયેલો,
આ જીદંગી થી હું કંટાળેલો,
આગળ શું થવાનું છે , આ જીદંગી નું ?
આગળ શું થવાનું છે , આ રોશની નું ?
કે,જેણે અંધારા માં પણ ચાંદની જાણી,
તેણે જીવન માં ,જીગીશા આણી,
હવે પછી ,કોણ છે ? એ નથી જાણતો હું,
પણ ના ,હવે.....
આ વમળ ને દુર થતા જોઇ હું શકુ,
આ વિચારો ને ખોવાયેલા જોઇ હું શકુ,
હવે શું કામ છે મારે જીવવા નું?
પણ જીદંગી ની યાદ સાચવી ને જીવુ છુ.
જીદંગી ની ક્ષણો જોવા હું જીવુ છુ.
     અને ...
         જીવુ છુ ,તમને સદાય ખુશ જોવા...
                રવિ પાઘડાળ(સ્મિત)

ટિપ્પણીઓ નથી: